ખેલ-જગત
News of Sunday, 21st April 2019

IPL 2019માં આરબીસી વિરુદ્ધ ચેન્નઈ સુપર કિંગ્સ વચ્‍ચે જામશે જંગ

બેંગલોરઃ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગના મુકાબલામાં રવિવારે અહીં રોયલ ચેલેન્જર્સ બેંગલોર વિરુદ્ધ જ્યારે મેદાનમાં ઉતરશે તો તેની નજર ગત મેચમાં મળેલા પરાજયને ભૂલીને પ્લેઓફમાં સ્થાન પાક્કુ કરવા પર હશે. ગત ચેમ્પિયન ચેન્નઈની ટીમે ગત મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ બહારનો સામનો કરવો પડ્યો હતો જે હાલની સિઝનમાં તેની બીજી હાર છે.

બેંગલોર વિરુદ્ધ જો ટીમ જીત મેળવે તો તેના 16 પોઈન્ટ થઈ જશે જે અંતિમ ચારમાં સ્થાન મેળવવા માટે પૂરતા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ ઈજાને કારણે ટીમના નિયમિત કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની મેદાન પર પર ન ઉતર્યો પરંતુ રવિવારે રમાનારી મેચ માટે તેના ફિટ રહેવાની આશા છે.

ટૂર્નામેન્ટની શરૂઆતી મેચ રમનારી બંન્ને ટીમોનું અભિયાન બિલ્કુલ અલગ પ્રકારનું રહ્યું છે. ચેન્નઈની ટીમ ફરી એકવાર આશાઓ પૂરી કરવામાં સફળ રહી તો બેંગલોરનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. તેમાં કોઈ શંકા નથી કે શુક્રવારે કોલકત્તા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ જીત મેળવનાર બેંગલોરની ટીમનો આત્મવિશ્વાસ વધ્યો હશે. આંદ્રે રસેલ અને નીતીશ રાણાની આક્રમક બેટિંગ છતાં બેંગલોરની ટીમ જીત મેળવવામાં સફળ રહી હતી.

(12:00 pm IST)