ખેલ-જગત
News of Friday, 9th November 2018

વિરાટ કોહલી પર કેમ આટલો ગુસ્સે થયો અભિનેતા સિધ્ધાર્થ?

 

વિરાટ કોહલીએ તેના એક ફેનને એવું કહ્યું કે જો તેને વિદેશી ટીમોના જ પ્લેયર પસંદ હોય અને ભારતીય પ્લેયર પસંદ હોય નહીં તો તેને ભારતમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ મુદ્દે હવે અભિનેતા સિધ્ધાર્થે, વિરાટ કોહલી પર ગુસ્સે થઈને ટ્વિટર પર એક પોસ્ટ લખી છે.

વિરાટે ભવિષ્યમાં બોલતા પહેલાં એક વખત વિચારવું જોઈએ

આ પોસ્ટમાં અભિનેતા સિધ્ધાર્થે લખ્યું કે જો વિરાટ કોહલી કિંગ કોહલી બની રહેવા માગતો હોય તો તેણે હવે પોતાની જાતને એવું વિચારતા કરવી જોઈએ કે મારા આ નિવેદન અંગે દ્રવિડ શું કહેશે? વિરાટે ભવિષ્યમાં બોલતા પહેલાં એક વખત વિચારવું જોઈએ. ભારતીય કેપ્ટન તરફથી કેવા મૂર્ખાઈભર્યા શબ્દો સાંભળવા મળી રહ્યા છે.

રંગ દે બસંતીથી ઓળખાય છે અભિનેતા સિધ્ધાર્થ

અભિનેતા સિધ્ધાર્થની ગણતરી દેશના સારા અભિનેતાઓમાં થાય છે અને તે બોલિવૂડમાં રંગ દે બસંતી, સ્ટ્રાઈકર સહિત દેશની અનેક ભાષાઓની ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. વિરાટ કોહલીએ તેના ફેનને કહ્યું હતું કે તમે મને પસંદ નથી કરતા તેનાથી મને કોઈ ફરક નથી પડતો. મને નથી લાગતું કે તમારે ભારતમાં રહેવું જોઈએ.

 

(12:24 pm IST)