હું 2019નો વર્લ્ડ કપ જરૂર ર્મિસ: રહાણે
નવી દિલ્હી: હાલમાં ભારતીય ટીમ વનડે વર્લ્ડકપ-૨૦૧૯ માટે યોગ્ય સ્થાન પર યોગ્ય ખેલાડીઓને સ્થાન આપવા માટે અજમાવી રહી છે ત્યારે લાંબા સમયથી વનડે ટીમમાંથી બહાર રહેલા રહાણેએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. રહાણેએ કહ્યું કે, હું ભલે ટીમમાં નથી પણ વર્લ્ડકપ ૨૦૧૯ જરૃર રમીશ. રહાણેએ વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે આગામી વર્ષે ઇંગ્લેન્ડમાં રમાનારા વનડે વર્લ્ડકપમાં રમવા માટે આશ્વત છું, હું શોર્ટર ફોર્મેટ માટે ટીમમાં વાપસીને લઇને પુરેપુરી રીતે તૈયાર છું. હું આગામી વર્લ્કકપ ૨૦૧૯ રમવા માટે આશ્વત છું અને એટલા માટે જ હું ડૉમેસ્ટિક ક્રિકેટ રમી રહ્યો છું, હું બાઉન્સ બેક જરૃર કરીશ. તેને વધુમાં કે મારી ટેકનિકમાં કોઇ ખામી નથી, મને ૩૦-૪૦ રનની ઇનિંગને અડધી સદી કે સદીમાં ફેરવવા માટે કોશિશ કરવી પડશે. ઘણીવાર સારુ રમીએ છીએ પણ પરિણામ નથી મળતું.