ખેલ-જગત
News of Friday, 20th November 2020

ભારત- ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં દર્શકોને મળી શકે છે મંજૂરી

લંડનઃ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)એ આગામી ૨૦૨૧ વર્ષનો ઘરઆંગણે રમાનાર સિરીઝનો કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જેમાં ભારત સામે રમાનાર પાંચ ટેસ્ટ મેચોની સિરીઝમાં દર્શકોનો સમાવેશ કરવામાં આવે તેવી શકયતા છે. ભારત- ઈંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝ આગામી વર્ષે ઓગષ્ટ- સપ્ટેમ્બરમાં રમાનાર છે.

(2:46 pm IST)