News of Friday, 20th November 2020
ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ મેચોમાં રોહિતને કેપ્ટન બનાવવો જોઈએઃ અખ્તર
નવીદિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરનું માનવું છે કે ઓસ્ટ્રેલીયા સામેની ટેસ્ટ સિરીઝમાં વિરાટની ગેરહાજરીમાં રોહિત શર્માને કેપ્ટનશીપનો દાવો મજબૂત કરવા શ્રેષ્ઠ તક છે. તેની આગેવાનીમાં આઈપીએલમાં મુંબઈ પાંચ વખત ચેમ્પિયન બન્યું છે. અજીન્કીયા રહાણેને વાઈસ કેપ્ટન બનાવ્યો છે પણ શોએબ કહે છે. બીજા ટેસ્ટ મેચથી રોહિત શર્માને કેપ્ટનશીપ સોંપવી જોઈએ.
(2:46 pm IST)