ખેલ-જગત
News of Saturday, 20th October 2018

ટીમ ઇન્ડિયાના બોલર પ્રવીણ કુમારે તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી

મુંબઈ :ભારતીય ક્રિકેટ ટીમના બોલર પ્રવીણ કુમારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી છે. નિવૃતિની જાહેરાત કર્યા બાદ પ્રવીણે જણાવ્યુ કે, "મને કોઈ વાતનો રંજ નથી. હું જેટલું પણ રમ્યો દિલથી રમ્યો, દિલથી બોલિંગ કરી. તેણે કહ્યુ કે, બીજા ખેલાડીઓના ભવિષ્ય વિશે પણ વિચારવું જરૂરી છે. મારો સમય આવી ગયો છે અને મેં તેનો સ્વીકાર કરી લીધો છે."

(5:58 pm IST)