હું સ્તબ્ધ છું કે ઓસ્ટ્રેલિયા આ સિરીઝ ન જીતી શકી, આ તો ભારતની ‘એ' ટીમ હતી છતાં તેણે મેચ જીતી લીધીઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ
બ્રિસબેનઃ ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ સ્પબ્ધ છે અને સમજી શકતા નથી કે ભારતની 'એ ટીમ'એ ઓસ્ટ્રેલિયાને તેની ધરતી પર હરાવી દીધુ છે. પરંતુ તેમણે સ્વીકાર કર્યુ કે, ભારતીય ટીમ જીતની હકદાર હતી. પોન્ટિંગે ક્રિકેટ ડોટ કોમ ડોટ એયૂને કહ્યુ, 'હું સ્તબ્ધ છું કે ઓસ્ટ્રેલિયા આ સિરીઝ ન જીતી શકી. આ તો ભારતની એ ટીમ હતી છતાં તેણે મેચ જીતી લીધી.'
તેણે કહ્યું, 'ભારતીય ટીમ પાંચ કે છ સપ્તાહમાં જે સ્થિતિમાંથી પસાર થઈ છે. કેપ્ટન સ્વદેશ પરત ફરી ગયો અને ખેલાડીઓની ઈજા વચ્ચે તે પૂરી મજબૂત ટીમ ન ઉતારી શક્યુ. ઓસ્ટ્રેલિયા તો પોતાની મજબૂત ટીમની સાથે રમ્યુ હતુ, બસ શરૂઆતમાં ડેવિડ વોર્નર ન રમી શક્યો.'
પોન્ટિંગે કહ્યુ, 'આ ભારતની પસંદ કરાયેલી બીજી ટીમ પણ નહતી કારણ કે તેમાં ભુવનેશ્વર કુમાર કે ઈશાંત શર્મા નહતા. રોહિત પણ અંતિમ બે ટેસ્ટ મેચમાં રમ્યો.' પોન્ટિંગે કહ્યુ, 'તે શાનદાર ક્રિકેટ રમ્યા. ટેસ્ટ મેચમાં તમામ નિર્ણાયક તકનો લાભ ઉઠાવ્યો જે ઓસ્ટ્રેલિયા ન કરી શકી. બંન્ને ટીમોમાં આ ફેર હતો. ભારત આ જીતનું હકદાર હતું.'
ઉલ્લેખનીય છે કે પોન્ટિંગે ભારતના પ્રવાસની શરૂઆતમાં કહ્યુ હતુ કે, કાંગારૂ ટીમ મહેમાનો પર એકતરફી ભારે પડશે અને તેને 4-0થી હરાવીને મોકલશે.