ખેલ-જગત
News of Friday, 19th October 2018

દેવધર ટ્રોફીમાં આ ખેલાડીઓને મળી જગ્યા

નવી દિલ્હી: ક્રિકેટ બોર્ડે દેવધર ટ્રોફીના ફોર્મેટમાં પરિવર્તન કરતાં હવે ઈન્ડિયા-એ, ઈન્ડિયા-બી અને ઈન્ડિયા-સી એમ ત્રણ ટીમો વચ્ચે મુકાબલા યોજવાનું નક્કી કર્યું છે. આ માટે પસંદગીકારોએ દેશના ૪૨ ખેલાડીઓને ત્રણ ટીમોમાં વહેંચી દીધા છે. જોકે આ ૪૨માં ગુજરાત સ્ટેટના ત્રણ ક્રિકેટ એસોસિએશનોના માત્ર બે જ ખેલાડીને સ્થાન મળી શક્યું છે. બરોડાના ઓલરાઉન્ડર કૃણાલ પંડયા અને સૌરાષ્ટ્રના ફાસ્ટ બોલર ઉનડકટને તક આપવામાં આવી છે. જ્યારે ગુજરાતના એક પણ ખેલાડીને પસંદ કરવામાં આવ્યો નથી. દેવધર ટ્રોફી તારીખ ૨૩મી ઓક્ટોબરથી શરૃ થશે.પસંદગીકારોએ આર. અશ્વિન અને રહાણે જેવા ઈન્ડિયા પ્લેયર્સને પણ આ દેવધર ટ્રોફીમાં રમવાનું જણાવ્યું છે. ઈન્ડિયા-એના કેપ્ટન તરીકે દિનેશ કાર્તિક, ઈન્ડિયા-બીના કેપ્ટન તરીકે શ્રેયસ ઐયર અને ઈન્ડિયા-સીના કેપ્ટન તરીકે રહાણેને તક આપવામાં આવી છે. 

(6:00 pm IST)