News of Saturday, 18th January 2020
એટીકે અને મોહન બગાનનું મર્જર બંગાળ ફુટબોલને વધુ ઊંચાઈએ લઈ જશેઃ ગાંગુલી
નવીદિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી ક્રિકેટ ઉપરાંત ફુટબોલનો પણ જબરો ચાહક છે. ફુટબોલ જગતમાં કલકત્તા સ્થિત ઈન્ડિયન સુપર લીગની બે ફ્રેન્ચાઈઝી એટીકે અને મોહન બગાને મર્જ થવાન નિર્ણય લીધો છે.
આ વિશે સૌરવ ગાંગુલીએ કહ્યું હતું કે 'બંગાળ ફુટબોલ માટે આ નિર્ણય મહત્વનો રહેશે. મને એ વાતમાં કોઈ શંકા નથી કે એટીકે અને મોહન બગાન સાથે મળીને ફુટબોલને વધુ ઊંચાઈએ લઈ જશે. મોહન બગાનને સારો ખરીદદાર મળ્યો એ સારી વાત છે. મને લાગે છે કે કલર, નામ અને લોગોમાં ફેરફાર ન કરવા જોઈએ. મોહન બગાનનો ઈતિહાસ ઘણો સમૃદ્ધ છે. આરપીએસજી એક પ્રોફેશનલ કંપની છે અને એ એના કલર, નામ અને લોગો વાપરી શકે છે.'
(1:08 pm IST)