ખેલ-જગત
News of Friday, 18th October 2019

રાંચી ટેસ્ટમાં ગાંગુલી હાજર નહિ રહી શકે

કોલકત્તાઃ ભારતીય ક્રિકેટ બોર્ડનો કારભાર સંભાળવાની જવાબદારી નજીકના સમયમાં સૌરવ ગાંગુલીના માથે આવવાની છે, પણ એ પહેલાં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ આવતી કાલથી રાંચીમાં રમાવાની છે. આ મેચ વખતે ગાંગુલીની ઈચ્છા ટીમના પ્લેયરો સાથે રહેવાની છે, પણ ૨૦ ઓકટોબરે કેરળમાં ઈન્ડિયન સુપર લીગનું ઉદ્ઘાટન હોવાને લીધે તે રાંચી ટેસ્ટ દરમ્યાન પ્લેયરો સાથે નહીં રહી શકે.

આ સંદર્ભે ગાંગુલીએ કહ્યું કે 'મારી રાંચી જવાની ઈચ્છા છે, પણ હવે હું ઈન્ડિયન સુપર લીગનું પ્રતિનિધિત્વ કરી રહયો હોવાને લીધે મારે ત્યાં ઉદ્ઘાટન સત્રમાં જવું જરૂરી છે. માટે હું કેરળમાં યોજાનારી ઓપનિંગ સેરેમનીમાં ઉપસ્થિત રહીશ.'

(3:27 pm IST)