News of Wednesday, 18th July 2018
વનડે સિરીઝ હારતા કોહલી ચિડાયો : કહ્યું: આમ નહીં જીતી શકાય વર્લ્ડકપ
ભારતે ઈંગ્લેન્ડ સામે ત્રીજી વન-ડે હારવાની સીરીઝ પણ ગુમાવવી પડી. સીરીઝ હાર્યા બાદ કોહલીએ કહ્યું કે, ‘હું ટીમના પ્રદર્શનથી ખુશ નથી. રન બનાવવામાં અમે ક્યારેય મજબૂત સ્થિતિમાં નહોતા. ઈંગ્લેન્ડ દરેક ડિપાર્ટમેન્ટમાં અમારા કરતા ચડિયાતી હતી એટલે તે જીતની હકદાર છે. ઈંગ્લેન્ડ સામે જીત મેળવવી હોય તો અમારે અમારું બેસ્ટ આપવું પડશે. આવું રમીને વર્લ્ડકપ જીતી નહીં શકાય
(9:02 pm IST)