ખેલ-જગત
News of Friday, 18th January 2019

૫૦%ની હિસ્સો વેચશે IPLની રાજસ્થાનની ટીમના માલિક મનોજ બડાલે

આઈપીએલની ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સના માલિક પોતાની ટીમને ૧૨મી સીઝન પહેલા આર્થિક રીતે સદ્ધર કરવા માટે પોતાની માલિકીનો ૫૦ ટકા હિસ્સો વેચવા તૈયાર છે.

માલિકે ભારતીય ક્રિકેટ બોર્ડના અધિકારીઓનો સંપર્ક કર્યો છે અને પોતાની ૫૦% પાર્ટનરશીપ વેચવાના નિર્ણયની જાણકારી આપી છે. મનોજ બડાલે રાજસ્થાન રોયલ્સની ટીમના મુળ માલિક છે. દેશની કેટલીક મોટી કોર્પોરેટ કંપનીઓએ આ પાર્ટનરશીપ ખરીદવામાં રસ દેખાડ્યો છે.

(3:26 pm IST)