News of Tuesday, 17th November 2020
સચિન તેંડુલકર ક્રિકેટમાંથી નિવૃત્ત થયાને ૭ વર્ષ પુર્ણઃ ફેન્સએ મહાન ક્રિકેટરને સોશ્યલ મિડીયામાં યાદ કરીને ભાવનાઓ વ્યકત કરી
નવી દિલ્હીઃ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરે 2013મા ગઇકાલે ૧૬ નવેમ્બર પોતાના 24 વર્ષના શાનદાર ક્રિકેટ કરિયરને અલવિદા કહ્યુ હતું. 16 વર્ષની ઉંમરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કરનાર સચિને પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ પોતાના શહેર મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં વિન્ડિઝ વિરુદ્ધ રમી હતી.
ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરની નિવૃતીને કાલે 7 વર્ષ થઈ ગયા છે. આ ખાસ તકે તેમના ફેન્સે સચિનને સોશિયલ મીડિયા પર યાદ કરી રહ્યા છે. ટ્વિટર પર #ThankYouSachin ટ્રેન્ડ કરાવી પોતાની ભાવનાઓ વ્યક્ત કરી હતી. સચિને પોતાની અંતિમ ઈનિંગમાં 74 રન બનાવ્યા હતા અને તે નરસિંહ દેવનારાયણના બોલ પર આઉટ થયો હતો. ભારતે આ મેચ ઈનિંગ અને 126 રનથી જીતી હતી.
(3:59 pm IST)