ખેલ-જગત
News of Saturday, 17th November 2018

મિયાંદાદે આફ્રિદીને વિવાદાસ્પદ મંતવ્યો રજૂ ન કરવાની આપી સલાહ

પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન જાવેદ મિયાંદાદે પોતાના દેશના ક્રિકેટરોને વિવાદોથી બચવા માટે રાજનીતિ કે અન્ય કોઈપણ સંવેદનશીલ મુદ્દા પર પોતાના અભિપ્રાયો વ્યકત કરતાં બચવાની સલાહ આપી હતી. શાહિદ આફ્રિદીએ ત્રણ દિવસ પહેલા કહ્યું હતું કે પાકિસ્તાન પોતાના લોકોની કાળજી નથી લઈ શકતુ તો કાશ્મીર શું સંભાળશે?

મિયાંદાદે કરાચીમાં મીડીયાને કહ્યું કે હું એટલું જ કહીશ કે જે આફ્રિદીએ કહ્યું એ યોગ્ય નથી અને તેણે આવા વિધાન ન કરવા જોઈએ. ક્રિકેટરોએ રાજનીતિ અથવા અન્ય કોઈપણ સંવેદનશીલ મુદ્દા પર પોતાના અભિપ્રાયો વ્યકત કરતાં બચવાની જરૂર છે. આફ્રિદીએ રીટાયર થાય ત્યાં સુધી ક્રિકેટ પર જ ફોકસ કરવું જોઈએ અને રીટાયર થયા પછી નવી કરીઅર વિશે વિચારવુ જોઈએ.

(3:15 pm IST)