હું સફળ થયો કારણ કે કોહલીએ મને અટેક કરવાની આઝાદી આપી : કુલદીપ
ધોનીની સલાહમાં કયારેય કોઈ શંકા રહી નથી, તેની વિકેટ પાછળની હાજરી અમારૂ કામ સરળ બનાવે છે, તેના વગર ટીમ અધૂરી છે
આઈપીએલ વર્લ્ડકપ જોતા ઘણી અલગ ટુર્નામેન્ટ છે. ઘણા એવા ખેલાડીઓ છે જેણે આઈપીએલમાં સારૂ પર્ફોર્મ કર્યુ છે પણ દેશની ટીમ વતી સારૂ પફોર્મ કર્યુ નથી. હું બોલર તરીકે મેચ્યોર થયો છું અને મને પૂરો વિશ્વાસ છે કે આગામી વર્લ્ડકપમાં હું સારૂ પર્ફોર્મ કરીશ. ટી-૨૦ એવુ ફોર્મેટ છે જેમાં એક ખરાબ દિવસે ઘણા રન ખર્ચાઈ જાય. હું કંઈ જાદુગર નથી કે દરેક મેચમાં ઘણી વિકેટો લઉં. જો મને વિકેટ ન મળે તો એનો અર્થ એવો નથી કે હું ખરાબ બોલીંગ કરૂ છું.(૩૭.૧૨)
ગઈકાલે રમાયેલી મેચમાં ગોહિલવાડ ગ્લેડિયટર્સ ના સુકાની મકવાણાએ ટોસ જીતીને પ્રથમ હાલાર હીરોઝને દાવમાં મોકલી હતી. ૨૦ ઓવરના અંતે હાલાર હીરોઝ ૬ વિકેટના ભોગે ૧૫૩ રન કર્યા હતા જેમાં સૌથી વધુ રન ઇઝડ કોઠારીયાએ કર્યા હતા તેમને ૫૬ બોલમાં બે સિકસર અને છ ચોક્કા સાથે શાનદાર ૭૨ રન બનાવ્યા હતા.આ ઉપરાંત હર્ષ અંગને ૧૬ બોલમાં બે ચોક્કા સાથે ૨૨ રન અને સુકાની અર્પિત વસાવડાએ ૨૦ બોલમાં ૨૦ રન કર્યા હતા.
ગોહિલવાડ ગ્લેડીયેટર્સના વંદિત જીવરાજની,હાર્દિક રાઠોડ,વિહાર જાડેજા,સાગર ભોજાણી અને સુકાની કમલેશ મકવાણાએ એક એક વિકેટ ઝડપી હતી.
૧૫૪ રનના લક્ષ્ય સાથે દાવમાં ઉતરતેલી ગોહિલવાડ ગ્લેડીયેટર્સ ની ટીમે શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવી દેતા મુશ્કેલીમાં આવ્યું હતું પરંતુ અકબર શેખ અને કિસન પરમારે ત્રીજી વિકેટ માટે શાનદાર બેટિંગ કરીને મેચને રોમાંચક તબક્કામાં પહોંચાડી દીધો હતો અને એક સમયે એવું લાગતું હતું કે ગોહિલવાડ ગ્લેડીયેટર્સ જીત હાંસલ કરશે પરંતુ પાર્થ ચૌહાણે એક ઓવટમાં બે વિકેટ ઝડપીને મેચનું પશુ પલ્ટી નાંખ્યું હતુંમઅબ્રાર શેખ ૪૧ બોલમાં ૬૩ રન બનાવ્યા હતા જેમાં ૧ સિકસ અને ૮ ચોક્કા સામેલ હતા અને કિશાન પરમારે ૩૦ બોલમાં ૩૩ રન ફટકાર્યા હતા પણ ત્યાર પછી ગોહિલવાડ ગ્લેડીયેટર્સની ટીમના બેટધરો લાબું ટકી શકય ન હતા અને આખી ટીમ ૧૮.૫ ઓવરમાં ૧૩૪ રનમાં તંબુ ભેગી થઇ જતા હાલાર હિરોઝનો ૧૯ રને સતત બીજો વિજય થયો હતો.
હાલાર હીરોઝ વતીઙ્ગ પાર્થ ચૌહાણે ૧૫ રનમા ૩ વિકેટ ઝડપી હતી જયારે કુલદીપ શર્મા વિવેક અગાથ અને કૃણાલ કરામચંદાની એ બબ્બે વિકેટ ઝડપી હતી.