ખેલ-જગત
News of Thursday, 17th May 2018

પૂજારાને IPLમાં રમવુ છે

ભારતનાં સ્ટાઈલીશ ટેસ્ટ - પ્લેયર ચેતેશ્વર પૂજારાને હવે આઈપીએલ અને વન-ડેમાં રમવાની ઈચ્છા છે. ૨૦૧૦ થી ૨૦૧૪ સુધીની પાંચ સીઝનમાં તે બેંગ્લોરની ટીમનો હિસ્સો હતો. ૩૦ મેચોમાં એક ફિફટી સાથે ૩૯૧ બોલનો સામનો કરીને તેણે ૩૯૦ રન બનાવ્યા છે. તેણે ૫૦ ચોગ્ગા અને ચાર સિકસર ફટકારી છે. આઈપીએલમાં વાપસી વિશે બોલતા તેણે કહ્યું હતું કે મેં આઈપીએલ અને ક્રિકેટના શોર્ટ ફોર્મેટમાં રમવા માટે ખાસ પ્રેકટીસ કરી છે. આ ફોર્મેટમાં રમવા માટે હું કેટલા શોટ્સ શીખી રહ્યો છે. ભારતમાં સૌથી પોપ્યુલર એવી આઈપીએલનો હું હિસ્સો બનવા માગુ છું.

(4:00 pm IST)