ખેલ-જગત
News of Tuesday, 17th April 2018

બિહારની રણજી ટ્રોફીમાં નહીં થઈ શકે વાપસી?

જો બિહારને મંજૂરી મળશે તો નાગાલેન્ડ, મણીપુર અને મેઘાલય કોર્ટમાં નહિં જાય તેની કોણ ખાતરી આપશે : સબા કરીમ

૧૭ વર્ષ સુધી રાહ જોયા બાદ ભલે બિહારને રણજીમાં રમવાની મંજૂરી મળી ગઈ હોય, પરંતુ મેદાન પર ટીમની વાપસી હજી પણ મુશ્કેલ છે.

સૌરવ ગાંગુલીના અધ્યક્ષપદવાળી ભારતીય ક્રિકેટ બોર્ડની ટેકનીકલ કમીટીએ બિહારને રણજી ટ્રોફીમાં સામેલ કરવાની ભલામણ સામે વાંધો ઉઠાવ્યો છે. કલકતામાં આયોજીત બેઠક દરમિયાન સબા કરીમે આ વિશે ભલામણ કરી હતી. તેણે કહ્યુ હતું કે સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ બિહારને રણજી ટ્રોફીમાં રમતા ન રોકી શકાય. જો કે એના જવાબમાં એક સભ્યએ કહ્યુ હતું કે જો અમે બિહારને મંજૂરી આપીશુ તો નાગાલેન્ડ, મણીપુર અને મેઘાલય કોર્ટમાં નહીં જાય એની કોણ ખાતરી આપશે. બિહારે પહેલા અન્ડર-૧૬, અન્ડર-૧૯ અને અન્ડર-૨૨માં રમવાનુ હશે ત્યારબાદ જ રણજી ટ્રોફીમાં વાપસી કરી શકશે.

 

(2:18 pm IST)