ખેલ-જગત
News of Tuesday, 17th April 2018

શિખર ધવને કર્યો પોતાનો રિટાયરમેન્ટ પ્લાન

ભારતીય ઓપનર શિખર ધવને કહ્યુ હતું કે ક્રિકેટમાંથી નિવૃતિ બાદ હું મારા પરિવારના વ્યવસાય સાથે જોડાઈ જઈશ. એક ઈવેન્ટ દરમિયાન તેણે કહ્યું હતું કે જો હું ક્રિકેટના પ્રેમમાં ન પડ્યો હોત તો અત્યારે બિઝનેસ જ કરતો હોત, પરંતુ હવે ક્રિકેટમાંથી નિવૃતિ લીધા બાદ હું મારા પરિવારના વ્યવસાયમાં જોડાઈ જઈશ. ક્રિકેટરો નિવૃતિ બાદ બિઝનેસમેન બને છે એમાં કોઈ નવાઈ નથી. કપિલ દેવ, સુનિલ ગાવસ્કર અને સૌરવ ગાંગુલી જેવા ક્રિકેટરોએ પણ નિવૃતિ બાદ પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો.

(2:17 pm IST)