બ્રાયન લારા અને સચિન તેંડુલકર સંન્યાસ લીધા ફરી મેદાનમાં ઉતરશે : સિરીઝ રમશે
ભારતમાં યોજાનારી વર્લ્ડ રોડ સેફ્ટી સીરીઝમાં બંને એક સાથે જોવા મળશે.
મુંબઈ : ક્રિકેટ જગતમાં બે મહાન ખેલાડી બ્રાયન લારા અને સચિન તેંડુલકર સંન્યાસ લીધા બાદ ફરીથી સાથે રમશે. આ બંને ખેલાડીઓએ જે વિક્રમ સર્જયા છે. આ બંને ખેલાડી ક્રિકેટના મેદાનમાં પાછા ફરી રહ્યાં છે. તેઓ ભારતમાં યોજાનારી વર્લ્ડ રોડ સેફ્ટી સીરીઝમાં તેઓ સાથે જોવા મળશે.
આ સીરીઝમાં દુનિયાભરના પાંચ દેશના ખેલાડી રમશે. જેમાં ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા, વેસ્ટ ઈન્ડિઝ અને ભારતનો સમાવેશ થાય છે. ભારતની તરફથી સચિન તેંડુલકર આ સીરિઝમાં ઉતરશે.
આમ ભારતના ખેલાડી અને ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિનને ફરીથી મેદાનમાં ઉતરીને રન ફટકારતા જોવું એ લ્હાવો રહેશે. સચિન આજે પણ તેમના રેકોર્ડના લીધે ક્રિકેટપ્રેમીઓના દિલમાં છવાયેલા છે. રોડ સેફ્ટી સીરીઝ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે માર્ગ અકસ્માત અંગે જાગૃતિને લઈને આ સીરીઝ યોજવામાં આવે છે