ખેલ-જગત
News of Friday, 16th April 2021

ચેસ ચેમ્પિયન વિશ્વનાથન આનંદના પિતાનું નિધન

પાંચ વાર વર્લ્ડ ચેસ ચેમ્પિયન રહી ચૂકેલા વિશ્વનાથન આનંદના પિતા કે. વિશ્વનાથનનું ગઇકાલે લાંબી બીમારી બાદ નિધન થયું હતું. તેઓ ૯ર વર્ષના હતા.

પરિવારજનોએ જણાવ્યા પ્રમાણે તેમણે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા હતા. વિશ્વનાથન દક્ષિણ રેલવેમાં જનરલ મેનેજર તરીકે સેવા આપી ચૂકયા હતા. તેમને બે પુત્ર અને એક પુત્રી છે. તેમનાં પત્ની સુશીલાએ જણાવ્યા પ્રમાણે તેઓ આનંદને ચેસ માટે ઘણો સપોર્ટ કરતા અને તેમણે પુત્રની દરેક જીત નિહાળી હતી.

(4:02 pm IST)