ખેલ-જગત
News of Monday, 15th April 2019

વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત : વિજય શંકર અને કાર્તિક ટીમમાં : રહાણે અને પંતનું પત્તુ કપાયુ

આગામી ૩૦ મેથી ઈંગ્લેન્ડમાં શરૂ થનાર વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની ઘોષણા કરવામાં આવી છે : સિલેકટરોએ વર્લ્ડકપ માટેની ટીમ અગાઉથી જ નક્કી કરી નાખી હતી, માત્ર ને માત્ર બીજા વિકેટકીપર માટે રિષભ પંત અને દિનેશ કાર્તિક વચ્ચે સ્પર્ધા હતી જેમાં આજે વર્લ્ડકપની ટીમમાં દિનેશ કાર્તિકનો સમાવેશ કરવામાં આવ્યો છે : વર્લ્ડકપ માટે ભારતીય ટીમ જાહેર થઈ છે : જેના નામ આ મુજબ છે : વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે. એલ. રાહુલ, વિજય શંકર, એમ.એસ. ધોની (વિકેટકીપર), કેદાર જાદવ, દિનેશ કાર્તિક, યજુવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જશપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમી.

(4:17 pm IST)