News of Friday, 14th September 2018
અમે ઈંગ્લેન્ડથી નહીં ઑલરાઉન્ડર સૈમ કરનના લડાયક પ્રદર્શનથી સંકટમાં આવ્યા ;રવિ શાસ્ત્રી
મુંબઈ :ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રીનું માનવુ છે કે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં ઑલરાઉન્ડર સૈમ કરને હાર અને જીત વચ્ચેનું અંતર ઉભુ કર્યુ હતું શાસ્ત્રીએ કહ્યું કે ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમ ઈંગ્લેન્ડના સામૂહિક પ્રયાસથી હારી નથી. પરંતુ ઑલરાઉન્ડર સૈમ કરનના લડાયક પ્રદર્શનથી અમે સંકટમાં આવી ગયા હતાં.
ભારતને 5 મેચોની શ્રેણીમાં 1-4થી કરારી હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, શાસ્ત્રીએ કહ્યું કે સ્કોરના કારણે ભારતીય ટીમના લડાયક પ્રદર્શન અંગે ખબર પડી નથી.
(12:15 am IST)