News of Tuesday, 14th July 2020
આઈપીએલના વર્તમાન સીઓઓ હેમાંગ અમીનની બીસીસીઆઈના વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક
બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં નિર્ણય લેવાયો
આઈપીએલના વર્તમાન સીઓઓ હેમાંગ અમીનને બીસીસીઆઈના વચગાળાના સીઈઓ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ગયા અઠવાડિયે રાહુલ જોહરીના રાજીનામાથી આ પદ ખાલી હતું. બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બોર્ડના એક અધિકારીએ કહ્યું કે આમિન આ પદ માટે સૌથી યોગ્ય છે.
અમીન પ્રખ્યાત ઈન્ડિયન પ્રીમિયર લીગના વર્તમાન મુખ્ય પરેટિંગ અધિકારી છે અને તે વર્ષ 2017 થી આઈપીએલની કામગીરી સંભાળી રહ્યાં છે.
બીજી તરફ, બોર્ડે એવો સંકેત પણ આપ્યો છે કે બે મહિનામાં એક નવો સીઈઓ મળી જશે. 17 જુલાઇએ યોજાનારી બોર્ડની એપેક્સ કાઉન્સિલની બેઠકમાં પણ આ અંગે ચર્ચા કરવામાં આવશે.
(12:54 am IST)