ઈજાગ્રસ્ત ભુવનેશ્વરની જગ્યા પર વનડે ટીમમાં સ્થાન મેળવ્યું શાર્દુલ ઠાકુરે
નવી દિલ્હી: રવિવારથી વેસ્ટ ઇન્ડીઝ સાથે શરૂ થનારી વનડે સિરીઝમાં ઈજાગ્રસ્ત ઝડપી બોલર ભુવનેશ્વર કુમારની જગ્યાએ શાર્દુલ ઠાકુરને ભારતીય ક્રિકેટ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શાર્દુલને ટીમમાં સામેલ કરવા માટે અખિલ ભારતીય વરિષ્ઠ પસંદગી સમિતિએ શનિવારે ઓપચારિક જાહેરાત કરી હતી.ભુવનેશ્વર ટી -20 શ્રેણીમાં વેસ્ટ ઇન્ડીઝ સાથે રમ્યો હતો. આ શ્રેણીની છેલ્લી મેચ બુધવારે મુંબઇમાં રમવામાં આવી હતી. તે મેચ દરમિયાન ભુવનેશ્વરે ગ્રોઇન ઈજાની ફરિયાદ કરી હતી.આ પછી ભુવનેશ્વરનો અલ્ટ્રાસાઉન્ડ આવ્યો, જેમાં જાહેર થયું કે તેમને હર્નીયાની સમસ્યા છે. આ અંગે નિષ્ણાતોની સલાહ લેવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં જ નિર્ણય લેવામાં આવશે.વનડે સિરીઝની પહેલી મેચ ચેન્નઇમાં 15 ડિસેમ્બરે રમાવાની છે.
ભારતીય ટીમ: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), મયંક અગ્રવાલ, લોકેશ રાહુલ, શ્રેયસ અયર, મનીષ પાંડે, ઋષભ પંત, શિવમ દુબે, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક ચહર, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર .