News of Wednesday, 14th November 2018
રોહિતને મળી આરામની સલાહ
ન્યુઝીલેન્ડ - એ સામેની ઈન્ડિયા-એ ટીમમાં નહિં રમે
ભારતીય ઓપનર રોહિત શર્મા ન્યુઝીલેન્ડ - એ સામેની પહેલી ચાર દિવસની મેચ માટે ઈન્ડિયા - એ ટીમમાં નહિં હોય. ભારતીય ક્રિકેટ બોર્ડની મેડીકલ ટીમે તેમને આરામની સલાહ આપી છે. રોહિતની કેપ્ટન્સીમાં ભારતે તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-૨૦ સીરીઝમાં કલીનસ્વિપ કર્યુ હતું. ક્રિકેટ બોર્ડના જણાવ્યા પ્રમાણે સીનીયર સિલેકશન કમીટી સાથે ચર્ચા બાદ રોહિતને આરામની સલાહ આપવામાં આવી છે. અગાઉ રોહિતને ઓસ્ટ્રેલિયા સામેની ૬ ડિસેમ્બરથી શરૂ થનારી ૪ ટેસ્ટ મેચોની સીરીઝની તૈયારી પહેલા ઈન્ડિયા-એ ટીમમાં પસંદ કરાયો હતો. હવે રોહિત ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે જે ૧૬ નવેમ્બરે મુંબઈથી રવાના થશે
(4:43 pm IST)