News of Wednesday, 14th November 2018
ચૂંટણીના મેદાનમાં ઉતરવા માટે તૈયાર બાંગ્લાદેશનો કેપ્ટન મશરફે મોર્તઝા
બાંગ્લાદેશ ક્રિકેટ ઈતિહાસના સૌથી સફળ કેપ્ટન મશરફે મોર્તઝાએ રાજનીતિના મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે. વળી આ માટે તેને વડાપ્રધાન શેખ હસીના પાસેથી મંજૂરી પણ મળી ગઈ છે. બાંગ્લાદેશનો વન-ડે કેપ્ટન મોર્તઝા આવતા મહિને આયોજીત થનારા જનરલ ઈલેકશનમાં સત્તાધારી પાર્ટી અવામી લીગના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. મોર્તઝા પોતાના ઘરઆંગણેના જિલ્લાની બેઠક નરાઈલ પરથી ચૂંટણી લડશે. મોર્તઝા ભલે ટેસ્ટ અને ટી-૨૦માં ન રમ્યો હોય, પરંતુ વન-ડેમાં ટીમનો કેપ્ટન પણ છે.
(4:43 pm IST)