પાણીપુરીની દુકાનમાં કામ કરનાર યશસ્વીને મળ્યું ભારતીય ટીમમાં સ્થાન
નવી દિલ્હી:શ્રીલંકાના પ્રવાસ પર જઈ રહેલ ભારતીય અંડર-19ની ટીમમાં ઉત્તર પ્રદેશના ભદોહીના યશસ્વી જયસ્વાલને જગ્યા મળી છે. મુંબઈના આઝાદ મેદાન પર પાણીપુરીની દુકાનમાં કામ કરનાર યશસ્વીએ ભારતની અંડર-19 વનડે ટીમમાં જગ્યા પાક્કી કરી લીધી છે. આ યુવા પ્રતિભાશાળી ખેલાડીના કોચ જ્વાળા સિંહે જણાવ્યું કે યશસ્વીના અંદર ક્રિકેટની એક દીવાનગી છે તે પૈસા માટે નહીં પણ નામ માટે રમવા માંગે છે. આખો પરિવાર પુત્રની આ ઉપ્લબ્ધીથી ખુબ ખુશ છે. સુરિયાંવ નગરમાં પેન્ટની દુકાન ચલાવનાર પિતા ભુપેન્દ્ર જયસ્વાલ ઉર્ફ ગુડ્ડુને જણાવ્યું કે ક્રિકેટર બનનાર યશસ્વીએ પોતાની જિંદગીનું સપનું પૂરું કર્યું છે.તેને કહ્યું હતું કે બુટ પોલીસ કરવા પડે તો એ કરીશ પણ એક દિવસ ક્રિકેટર બનાવીને બતાવીશ.યશસ્વી ક્રિકેટમાં પોતાનો આઇડલ સચિન તેંડુકર ને માને છે.