ખેલ-જગત
News of Monday, 14th June 2021

ભારતના મહાન દોડવીર મિલ્ખા સિંહની પત્ની નિર્મલ કૌરનું નિધન

નવી દિલ્હી:ભારતીય વોલીબોલની પૂર્વ કેપ્ટન નિર્મલ કૌર અને સુપ્રસિદ્ધ ભારતીય દોડવીર મિલ્ખા સિંહની પત્નીનું નિધન થયું છે. તેણીને કોરોનાથી ચેપ લાગ્યો હતો અને છેલ્લા ત્રણ અઠવાડિયાથી તે બહાદુરીથી રોગ સામે લડી રહ્યા હતા. તેમણે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. નિર્મલ કૌર 85 વર્ષના હતા. નોંધનીય છે કે મિલ્ખા સિંહ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યા બાદ તેની પત્ની અને પરિવારના સભ્યોની કોવિડ માટે પરીક્ષણ કરવામાં આવ્યા હતા જેમાં નિર્મલ કૌરને પણ કોરોનાથી ચેપ લાગ્યો હતો.

(5:31 pm IST)