ખેલ-જગત
News of Thursday, 14th June 2018

શાસ્ત્રીએ વધાર્યુ ખેલાડીઓનું ટેન્શન

ભારતીય ટીમના કોચે ટીમમાં પસંદગી માટે યો ટેસ્ટને બનાવી ફરજીયાત

તાજેતરમાં ખેલાડીઓ ફીટનેસ ટેસ્ટમાં ફેલ થવાના અને નેશનલ ટીમમાંથી બહાર થવાના સમાચારો આવી રહ્યા છે. કારણ કે ભારતીય ટીમ મેનેજમેન્ટે અભિગમ અપનાવ્યો છે. ટીમ મેનેજમેન્ટ યો-યો ટેસ્ટના સ્તરને ૧૬.૧થી વધારીને ૧૬.૩ કરવા માગે છે. ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે જે ખેલાડી યો-યો ટેસ્ટમાં પાસ નહિં થાય તેને નેશનલ ટીમમાં સ્થાન નહિં મળે.

(4:32 pm IST)