ખેલ-જગત
News of Monday, 14th May 2018

આ સ્ટેજમાં રન ચેઝ કરવાનું યોગ્ય : વિરાટ

દિલ્હી સામે ફિલ્ડીંગ સ્વીકાર્યા બાદ રન ચેઝ દ્વારા પાંચ વિકેટથી જીત મેળવનારા બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે આ ટુર્નામેન્ટના આ સ્ટેજમાં હવે લક્ષ્યાંક મેળવીને તેને અચીવ કરવુ જોઈએ એવું હું માનુ છું. અમારી ટીમ બોલીંગમાં જોરદાર આક્રમણ ધરાવતી નથી. આના કારણે અમે બેટ્સમેનોની ક્ષમતાના આધારે મેચો જીતવા માગીએ છીએ. દરેક બેટ્સમેને આ જવાબદારી સ્વીકારવી જોઈએ.

એ.બી. ડિવિલિયર્સ સાથે ૧૧૮ રનની પાર્ટનરશીપ વિશે બોલતા કહ્યું હતું કે તેની સાથે ક્રીઝ પર બેટીંગ કરવાની મજા છે. અમે ભૂતકાળમાં પણ ઘણી વાર આ રીતે રન ચેઝ કર્યો છે. ક્રીઝ પર ઈનિંગ્સ - બ્રેકમાં તેણે મને એવી ખાતરી આપી હતી કે આ મેચ આપણે જીતી જવાના છીએ અને એ તેણે પૂર્ણ કર્યુ હતું. તેની સાથે બેટીંગ કરવાનું હું મારૂ ભાગ્ય માનુ છું.

(3:54 pm IST)