પોસ્ટ ગાયબ થઈ, કેપ્ટનને કહ્યું પણ નહીં
સોશ્યલ મીડિયામાંથી રોયલ ચેલેન્જર્સનાં પ્રોફાઈલ- પિકચર નીકળી જતાં કોહલીને થઈ ચિંતા
હેમિલ્ટનઃ ટીમ ઈન્ડિયા હાલમાં ન્યુઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ રમવાની તૈયાર કરી રહી છે. ત્યારે વિરાટ કોહલીને જબરદસ્ત ઝાટકો લાગ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ રોયલ ચેલેન્જર્સ બેન્ગલોરના તમામ સોશ્યલ મીડિયામાંથી પ્રોફાઈલ પિકચર અને પોસ્ટ હટી ગઈ હતી જેને લીધે ખેલાડીઓ પણ મૂંઝવણમાં હતા. આરસીબીને લીડ કરી રહેલા કોહલીને પણ આ વાતનું આશ્ચર્ય થયું છે. આરસીબીને ટેગ કરતાં કોહલીએ કહ્યું, પોસ્ટ ગાયબ અને કેપ્ટનને કોઈએ કહ્યું પણ નથી. આરસીબી જો તમને કોઈ મદદ જોઈએ તો મને કહેજો.
કોહલી પહેલાં યુઝવેન્દ્ર ચહલે પણ આ ઘટનાને આરસીબીની ગૂગલી ગણાવી હતી, જયારે એ.બી. ડિવિલિયર્સ પણ આ પ્રકારની ઘટનાથી આશ્ચર્ય પામ્યો હતો. જો કે હકીકત એ છે કે રોયલ ચેલેન્જર્સે મુથૂત ફિનકોર્પ લિમિટેડ સાથે ત્રણ વર્ષનો કોન્ટ્રેકટ કર્યો છે. આ ટીમનાં રંગરૂપ બદલાઈ રહ્યાં છે અને એની જાહેરાત આજે કરવામાં આવશે.