News of Thursday, 13th September 2018
સચિન તેંડુલકરને કારણે વર્લ્ડ કપ 2011 જીત્યા હતા: વીરેન્દ્ર સેહવાગે કર્યો ખુલાસો
મુંબઈ :ટીમ ઇન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે વર્લ્ડ કપ 2011ની જીતનો શ્રેય માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને આપ્યો હતો ટીવી શૉ 'ક્રિકેટ કી બાત'માં વીરેન્દ્ર સેહવાગે કેટલાક ખુલાસા કર્યા હતા જેમાં તેમણે શ્રીલંકા સામેની ફાઈનલ મેચમાં વ્યૂહાત્મક બદલાવ કરવા પાળછનું કારણ પણ જણાવ્યું હતું સારા ફોર્મમાં હોવા છતાં યુવરાજને આગળ બેટિંગ કરવા નહોતો ઉતાર્યો, આ નિર્ણય સચિનની સલાહને પગલે લેવાયો હતો.
(9:48 pm IST)