News of Thursday, 13th September 2018
એશિયા કપમાં જીત માટેની પ્રાથર્ના કરવા દેવડી માતાના મંદિરે પહોંચ્યો એમ એસ ધોની
નવી દિલ્હી: ભારતીય પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોની જયારે પણ રાંચી પોતાના ઘરે જાય છે ત્યારે તે દેવડી માતાના મંદિરે દર્શન કરવા માટે ચોક્કસ જાય જ છે.તે નાનાથી લઈને મોટી સિરીઝ પહેલા કે પછી માતાના મંદિરે દર્શન કરવા માટે જાય છે. આ વખતે એશિયા કપ માટે ટીમની જીત માટે પ્રાથર્ના કરવા માટે મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યો હતો.રાંચીથી 70 કિમિ દૂર આ મંદિરમાં ધોની કારમાં ગયો હતો. ધોનીએ 20 મિનિટ સુધી મંદરીમાં પૂજા કરી હતી.
(5:48 pm IST)