ખેલ-જગત
News of Wednesday, 12th September 2018

શ્રેણી ગુમાવવાનો અર્થ એ નથી કે એકતરફી હારી ગયા, નિડર થઇને રમ્યા : કેપ્ટન કોહલી

ઇંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ પાંચ ટેસ્ટ મેચની સિરીઝ 4-1થી જીતી લીધી છે. હાર બાદ કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું 4-1નો આંકડો તેમની ટીમના પ્રદર્શનની સાચી તસવીર રજૂ નથી કરતું.

 વિરાટ કોહલી અનુસાર લોર્ડ્સ ટેસ્ટને છોડી દઇએ તો ભારત કોઇ પણ ટેસ્ટમાં એક તરફી નથી હાર્યું. આખી સિરીઝમાં અમારા ખેલાડી નિડર થઇને રમ્યા. અમારી ટીમમાં યોગ્યતા છે, માત્ર અમારે અનુભવ જોઇએ.

(12:29 pm IST)