ખેલ-જગત
News of Thursday, 13th June 2019

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે મેચ રદ થતાં ચાહક ભારે નિરાશ

વારંવાર નિરીક્ષણ બાદ અંતે મેચ રદ કરાઈ : બંનેને એક-એક પોઇન્ટથી સંતોષ માનવાની પડેલ ફરજ ભારતને નિરાશા : ન્યુઝીલેન્ડના ચાર મેચમાં સાત પોઇન્ટ

નોટિગ્હામ,તા. ૧૨ : ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે નોટિંગ્હામમાં વર્લ્ડકપની મેચ એક પણ બોલ ફેંકાયા વગર વરસાદ અને ખરાબ હવામાનના કારણે રદ કરી દેવામાં આવતા ક્રિકેટ ચાહકોમાં નિરાશાનું મોજુ ફરી વળ્યું હતું. બંને ટીમોને આ મેચમાં એક-એક પોઇન્ટ મળ્યા હતા. આની સાથે જ ન્યુઝીલેન્ડ હવે ચાર મેચોમાં ત્રણ જીત સાથે સાત પોઇન્ટ ધરાવે છે જ્યારે ઓસ્ટ્રેલિયા ચાર મેચમાં છ પોઇન્ટ ધરાવે છે. ઇંગ્લેન્ડ પણ ચાર પોઇન્ટ ધરાવે છે જ્યારે ભારતના આજે મેચ રદ કરતા ત્રણ મેચમાં પાંચ પોઇન્ટ થયા છે. ભારતને આજે નિરાશા હાથ લાગી હતી. ક્રિકેટ ચાહકો મેચને લઇને ઉત્સાહિત હતા પરંતુ મેચની કોઇ શક્યતા વરસાદના કારણે રહી ન હતી. ઇંગ્લેન્ડમાં પાંચમી વખત વર્લ્ડ કપનુ આયોજન કરવામાં આવ્યુ છે.૧૯૭૫, ૧૯૭૯, ૧૯૮૩ અને ૧૯૯૯માં વર્લ્ડકપનું આયોજન ઇંગ્લેન્ડમાં કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માટે ફોર્મેટ ૧૦ ટીમોના સિંગલ ગ્રુપની છે જેમાં દરેક ટીમ અન્ય નવ ટીમો સામે મેચો રમશે. એટલે કે દરેક ટીમ નવ મેચ રમશે ત્યારબાદ ટોપની ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ૧૦ ટીમોની સ્પર્ધામાં આ વખતે રોમાંચકતા રહે તેવી શક્યતા છે. આયર્લેન્ડ અને અફઘાનિસ્તાનની ટીમ પણ પ્રથમ વખત રમી રહી છે. ૨૦૧૯ના પુલવામા હુમલા બાદ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો બહિષ્કાર કરવા કહ્યું હતું. સાથે સાથે પાકિસ્તાની ટીમ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી. જો કે, દુબઈમાં પત્રકાર પરિષદ યોજીને આઈસીસીએ ભારતની માંગને ફગાવી દીધી હતી.  ૨૦૧૧ અને ૨૦૧૫માં ૧૪ ટીમો રમી હતી.વિશ્વ કપ ક્રિકેટમાં અનેક ખેલાડી પોતાના કેરિયરની છેલ્લી મેચો રમી શકે છે. કેટલાક ખેલાડી  નવા રેકોર્ડ કરી શકે છે. વર્લ્ડ કપમાં ભાગ લઇ રહેલી ટીમોમાં દક્ષિણ આફ્રિકા, ભારત, ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, અફઘાન અને વેસ્ટ ઇન્ડિઝનો સમાવેશ થાય છે. એપ્રિલ ૨૦૦૬માં ઇંગ્લેન્ડને યજમાન દેશના અધિકાર મળ્યા હતા. ૨૦૧૫નું આયોજન કરવા ઇંગ્લેન્ડે બિડિંગ પ્રક્રિયાથી નામ પરત ખેંચી લીધું હતું. આનુ આયોજન ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચ લોડ્ઝમાં રમાશે.વર્લ્ડ કપમાં બંને ટીમોના દેખાવની વાત કરવામાં આવે તો ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ કપમાં હજુ સુધી સાત મેચો રમાઇ છે. જે પૈકી ન્યુઝીલેન્ડની ટીમ ભારત પર સહેજમાં લીડ ધરાવે છે. ન્યુઝીલેન્ડે ભારત પર ચાર જીત મેળવી છે. ભારતે ત્રણ જીત મેળવી છે. છેલ્લે વર્લ્ડ કપ ૨૦૦૩માં બંને ટીમો સામ સામે આવી હતી. એ વખતે ભારતીય ટીમે સાત વિકેટે જીત મેળવી હતી.

 

(8:15 pm IST)