વર્લ્ડકપ-2019:ભારત - ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ 20-20 રમાશે કે રદ થશે? : ચાહકોમાં ઉત્સુકતા
આખી મેચ રમવાની તો લગભગ સંભાવના નથી
નોટિંગહામ: વર્લ્ડકપમાં ટીમ ઈન્ડિયાની ન્યૂઝીલેન્ડ સામેની મેચ વરસાદના પગલે રદ થાય તેવી શક્યતાઓ છે. જાણકારોનુ કહેવુ છે કે, આખી મેચ રમવાની તો લગભગ સંભાવના નથી.
વરસાદ બહુ પડે તો કદાચ 20-20 ઓવરની મેચ રમાશે. કદાચ લંચ સમય સુધીમાં વરસાદ અટકે તેવી સંભાવના છે. આ મેચ જ્યાં રમાવાની છે તે નોટિંગ હામમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ પડી રહ્યો છે.આ વિસ્તાર માટે હવામાન વિભાગે યલો વોરનિંગ જાહેર કરી છે.
વરસાદના કારણે વર્લ્ડકપ વિવાદમાં આવી ગયો છે.અત્યાર સુધીમાં 17માંથી 3 મેચ વરસાદના કારણે રદ કરવી પડી છે.આજની ભારતની મેચ રદ થશે તો આ ચોથી મેચ હશે.
અત્યાર સુધીમાં ભારત અ્ને ન્યૂઝીલેન્ડ એ બે જ ટીમ એવી છે જે ટુર્નામેન્ટમાં અપરાજીત રહી છે.આજની મેચ નહી રમાય તો બંને ટીમ વચ્ચે એક-એક પોઈન્ટ વહેંચાઈ જશે.