ખેલ-જગત
News of Wednesday, 13th February 2019

ઓસ્ટ્રેલિયાઇ ખેલાડીએ કહ્યું હતું આઉટ નહી થા તો વ્હીલ ચેર મંગાવવી પડશે : ચેતેશ્વર પુજારા

ભારતીય બેટસમેન ચેતેશ્વર પુજારાએ  એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે ર૦૧૭ માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ રાંચી ટેસ્ટ દરમ્યાન મને વિપક્ષી ટીમના એક ખેલાડીએ કહ્યુ હતુ કે જો તુ આઉટ નહી થાય તો અમારે વ્હીલચેર મંગાવવી પડશે. પુજારાએ આગળ કહ્યું કે આ ઓસ્ટ્રેલિયાઇ ખેલાડી દ્વારા કરવામાં આવેલ સૌથી સારી સ્લેજીંગ હતી જે મને યાદ છે.

(10:27 pm IST)