News of Sunday, 13th January 2019
ઓસીઝ સામે પરાજય બાદ કોહલીએ કહ્યું ,,ધોનીનું આઉટ થવુ સૌથી મોટું નિર્ણાયક રહ્યું.:મેચની દિશા બદલાઇ ગઇ.
ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વન-ડે હાર્યા બાદ થોડા અંશે નિરાશ થયેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શનિવારે કહ્યું કે લક્ષ્ય તરફ આગળ વધી રહેલી ભારતીય ટીમ માટે મહેન્દ્ર સિંહ ધોનીનુ આઉટ થવુ સૌથી નિર્ણાયક રહ્યું. ભારતે 289 રનના લક્ષ્યાંકનો પીછો કરીને એક સમયે ત્રણ વિકેટ માત્ર 4 રન પર ગુમાવી દીધી હતી, પરંતુ ત્યારબાદ રોહિત શર્મા અને ધોનીની વચ્ચે 137 રનની ભાગીદારીથી ભારત સુખદ સ્થિતિમાં જોવા મળી રહ્યું હતું. પરંતુ આ દરમ્યાન ધોનીના આઉટ થવાથી મેચની દિશા બદલાઇ ગઇ.
(12:21 am IST)