ખેલ-જગત
News of Thursday, 12th September 2019

પાકિસ્તાન પ્રવાસ માટે આ ખેલાડીને સોંપાઈ શ્રીલંકા ટીમની કમાન

નવી દિલ્હી: સુરક્ષાની ચિંતાને કારણે સિનિયર ખેલાડીઓએ પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યા બાદ હવે લાહિરુ તિરિમાને પાકિસ્તાનમાં વનડે ટીમ અને દાસુન શનાકા ટ્વેન્ટી -20 ટીમનું નેતૃત્વ કરશે. શ્રીલંકન બોર્ડે બુધવારે પાકિસ્તાનમાં યોજાનારી વનડે અને ટી 20 શ્રેણી માટે ટીમોની ઘોષણા કરી હતી.નોંધનીય છે કે શ્રીલંકાના 10 ખેલાડીઓએ સલામતીની ચિંતા દર્શાવીને પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કરી દીધો હતો અને તે શ્રેણીમાંથી પાછો ખેંચ્યો હતો.પાકિસ્તાનનો પ્રવાસ કરવાનો ઇનકાર કરનારા ખેલાડીઓમાં લસિથ મલિંગા, દિમુથ કરુનારાત્ને, એન્જેલો મેથ્યૂઝ, નિરોશન ડિકવેલા, કુશલ પરેરા, ધનંજય ડીસિલ્વા, તિશારા પરેરા, અકિલા ધનંજય, સુરંગા લકમાલ અને દિનેશ ચાંડિમલનો સમાવેશ થાય છે.

(5:29 pm IST)