ખેલ-જગત
News of Thursday, 12th July 2018

ઇંગ્લેન્ડ સામે પ્રથમ વનડેમાં ભારતનો 8 વિકેટે વિજય :કુલદીપ યાદવે તરખાટ મચાવ્યો ;છ વિકેટ ઝડપી :રોહિત શર્માએ અણનમ 137 રન ફટકાર્યા

ઇંગ્લેન્ડના 268 રનના જવાબમાં ભારતે 40,1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી જીત હાંસલ કરી

 

ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે સિરીઝના પ્રથમ વનડેમાં ભારતે 8 વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો છે કુલદીપ યાદવે  તરખાટ મચાવ્યો હતો કુલદીપે વિકેટ ઝડપી હતી જયારે રોહિત શર્માની અણનમ 137 રન ફટકાર્યા હતા ઉપરાંત  વિરાટ કોહલીના 75 રનની  મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 8 વિકેટે વિજય મેળવ્યો હતો.

  પહેલા ઇંગ્લેન્ડ 49.5 ઓવરમાં 268 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે 40.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. જીત સાથે ભારતે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી વન-ડે 14 જુલાઈના રોજ રમાશે. રોહિત શર્માએ 114 બોલમાં 15 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 137 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 82 બોલમાં 7 ફોર સાથે 75 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોશ બટલરે સૌથી વધારે 53 રન બનાવ્યા હતા.

(12:27 am IST)