ઇંગ્લેન્ડ સામે પ્રથમ વનડેમાં ભારતનો 8 વિકેટે વિજય :કુલદીપ યાદવે તરખાટ મચાવ્યો ;છ વિકેટ ઝડપી :રોહિત શર્માએ અણનમ 137 રન ફટકાર્યા
ઇંગ્લેન્ડના 268 રનના જવાબમાં ભારતે 40,1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી જીત હાંસલ કરી
ઇંગ્લેન્ડ સામે ત્રણ મેચની વનડે સિરીઝના પ્રથમ વનડેમાં ભારતે 8 વિકેટે શાનદાર વિજય હાંસલ કર્યો છે કુલદીપ યાદવે તરખાટ મચાવ્યો હતો કુલદીપે છ વિકેટ ઝડપી હતી જયારે રોહિત શર્માની અણનમ 137 રન ફટકાર્યા હતા આ ઉપરાંત વિરાટ કોહલીના 75 રનની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પ્રથમ વન-ડેમાં 8 વિકેટે વિજય મેળવ્યો હતો.
આ પહેલા ઇંગ્લેન્ડ 49.5 ઓવરમાં 268 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે 40.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે ભારતે ત્રણ મેચની વન-ડે શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની બીજી વન-ડે 14 જુલાઈના રોજ રમાશે. રોહિત શર્માએ 114 બોલમાં 15 ફોર અને 4 સિક્સર સાથે અણનમ 137 રન બનાવ્યા હતા. વિરાટ કોહલીએ 82 બોલમાં 7 ફોર સાથે 75 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી જોશ બટલરે સૌથી વધારે 53 રન બનાવ્યા હતા.