News of Wednesday, 12th May 2021
શ્રીલંકાના પ્રવાસમાં રાહુલ દ્રવીડને કોચ બનાવાશે ?
આગામી જુલાઇ માસમાં ભારતની ટીમ શ્રીલંકાના પ્રવાસે જનાર છે. ટી-૨૦ વર્લ્ડકપ પહેલા આ પ્રવાસ ખુબ જ મહત્વનો હોય યુવા ખેલાડીઓ આ ટીમમાં સામેલ થશે. જુલાઇ મહિનામાં જ ટીમ ઇન્ડિયાના સિનીયર ક્રિકેટરો ઇંગ્લેન્ડના પ્રવાસમાં હશે. ભારતની બી ટીમ શ્રીલંકાના પ્રવાસે જશે. આ ટુરમાં ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ ખેલાડી રાહુલ દ્રવીડને હેડકોચ બનાવવામાં આવે તેવી પુરી શકયતા છે. આમ દ્રવીડને મોટી જવાબદારી આપવામાં આવશે.
(4:37 pm IST)