વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20 સિરીઝમાંથી શિખર ધવન બહાર : બેટ્સમેન સંજુ સેમસનનો સમાવેશ
ઇજાના કારણે શિખર ધવનને 15 સભ્યોની ટીમમાંથી બહાર રખાયો
મુંબઈ : ભારત અને વેસ્ટઇન્ડીઝ સામે રમાઇ રહેલી ટી-20 સીરીઝના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન બહાર થયો છે ઇજાના કારણે શિખર ધવનને 15 સભ્યોની ટીમમાંથી બહાર કરી દેવાયો છે શિખર ધવનના સ્થાને વિકેટકીપર બેટ્સમેન સંજૂ સેમસને ટી-20 ટીમમાં સ્થાન મેળવ્યું હતુ. જો કે બાંગ્લાદેશ બાદ વેસ્ટઇન્ડીઝ સામે પણ તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નથી મળ્યુ. તેવામાં હવે વેસ્ટઇન્ડીઝ સામેની વન ડેમાં પણ શિખર ધવનને સામેલ કરવામાં આવ્યો નથી.
ટેસ્ટ ક્રિકેટમાં દમદાર પ્રદર્શન બાદ હવે મયંક અગ્રવાલને વન ડે ટીમમાં સ્થાન મળ્યું છે. મયંકને વેસ્ટઇન્ડીઝ સામે ઘાયલ શિખર ધવનના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મુશ્તાક અલી ટ્રૉફી દરમિયાન ઘાયલ થયેલો ધવન હજુ સ્વસ્થ થયો નથી.
મયંક અગ્રવાલે ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર બેટિંગ કરી છે. તેના ટેસ્ટ પ્રદર્શનના આધારે જ તેને વન ડે ટીમમાં સ્થાન મળ્યું છે. મયંકે ટીમ ઇન્ડિયા માટે વન ડે ટીમમાં હજુ ડેબ્યૂ કર્યુ નથી. આ સીરીઝમાં તેને ડેબ્યૂની તક મળી શકે છે.