News of Friday, 11th November 2022
દ્રવિડ ન્યુઝીલેન્ડ પ્રવાસમાં કોચ નહીં બનેઃ લક્ષ્મણ સંભાળશે જવાબદારી
મુંબઈઃ ટીમ ઈન્ડિયાના ન્યુઝીલેન્ડ પ્રવાસ પર રાહુલ દ્રવિડની આગેવાની હેઠળના કોચિંગ સ્ટાફને ટી-૨૦ વર્લ્ડ કપ પછી બ્રેક આપવામાં આવ્યો છે. નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણ આ સમયગાળા દરમિયાન કાર્યકારી મુખ્ય કોચ રહેશે. હવે ભારતને ન્યુઝીલેન્ડમાં ત્રણ મેચની ટી-૨૦ અને ત્રણ મેચની વનડે શ્રેણી રમવાની છે. ટી-૨૦ શ્રેણી ૧૮ નવેમ્બરથી વેલિંગ્ટનમાં શરૂ થશે. નિયમિત કેપ્ટન રોહિત શર્મા, સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી, કેએલ રાહુલ અને સ્પિનર રવિચંદ્રન અશ્વિન સહિતના વરિષ્ઠ ખેલાડીઓને પ્રવાસમાં આરામ આપવામાં આવ્યો છે.
(3:30 pm IST)