એશિયા કપમાં ઇશાનની પસંદગી ન થતાં ઇન્સ્ટાગ્રામમાં દર્દ છલકાયું
નવી દિલ્હીઃ એશિયા કપ માટે વિકેટકીપર બેટ્સમેન ઇશાનકિશનને ૧૫ સભ્યોની ટીમમાં સ્થાન મળ્યું નથી. ટીમમાંથી બહાર થયા બાદ ઇશાનકિશન દુખી છે પરંતુ તેનો ઉત્સાહ તૂટયો નથી. ઇશાને ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ દ્વારા પોતાનું દુઃખ વ્યકત કર્યુ હતું. આ ગીત દ્વારા સંદેશ આપ્યો હતો.
તેને ટીમમાં બેકઅપ ઓપનર અને વિકેટકીપર તરીકે રાખવામાં આવ્યો હતો. પરંતુ એશિયા કપમાં કેએલ રાહુલની વાપસી અને તેના ખરાબ ફોર્મે તેનું સ્થાન બગાડયું આટલું જ નહીં. દિનેશ કાર્તિકે વિકેટકિપર અને ફિનિશર તરીકે ભુમિકા ભજવી રહયો છે. ઇશાન કિશન સિવાય વિકેટકિપર બેટ્સમેન સંજુ સેમસનનું પત્તું કપાઇ ગયું છે. પોસ્ટ શેર કરતી વખતે તેણે કહ્યું કે, હવે એવું ન બનો, ભલે તમે ઘાયલ થાઓ. જો કોઇ તમને મૂર્ખ સમજે તો તમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે. આ બધાની જેમ ગુમ ન થાઓ.