ખેલ-જગત
News of Thursday, 11th July 2019

ભારત મેચ હારી ગયુ પરંતુ રવિન્દ્ર જાડેજાનુ પરફોર્મન્સ કાબીલેદાદઃ જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી

જામનગરઃ ગઈકાલે વિશ્વ કપ ક્રિકેટ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમી ફાઈનલ મુકાબલો થયો હતો. જેમાં ભારતનો પરાજય થયો છે. ત્યારે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ મેચમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ અંગે જામનગરના જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજીએ રવિન્દ્ર જાડેજાની રમતના વખાણ કર્યા હતા અને જણાવ્યુ હતુ કે દેશ મેચ હારી ગયો પરંતુ જાડેજાનું પરફોર્મન્સ કાબીલેદાદ રહ્યુ હતું.

(3:28 pm IST)