ચેન્નઈ સુપરકિંગ્સની બાકીની મેચ રાજકોટમાં રમાવવાની શકયતા : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો,એ લખ્યો ફ્રેન્ચાઈજીને પત્ર
રાજકોટ :ચેન્નઈ સુપરકિંગ્સની બાકી રહેલી IPLની મેચ રાજકોટમાં રમાઈ શકે છે. કાવેરી જળ વિવાદ મુદ્દે ચેન્નઈ સુપર કિંગ્સની ચેન્નઈમાં રમાનારી તમામ મેચ રદ્દ કરી દેવાઈ છે. ત્યારે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને ચેન્નઈ સુપરકિંગ્સના ફ્રેન્ચાઈઝીને પત્ર પાઠવ્યો છે.જો ચેન્નઈની ટીમ તૈયાર થશે તો રાજકોટમાં ફરી જામી શકે છે IPLનો જંગ. ચેન્નઈ સુપરકિંગ્સની બાકી રહેલી અમુક મેચ રાજકોટમાં રમાવાની સંભાવના છે. આઈપીએલમાંથી ગુજરાતની ટીમ બહાર થતા આ વર્ષે રાજકોટના ફાળે એકપણ મેચ આવી ન હતી. પરંતુ હવે જો ચેન્નઈ સુપર કિંગ્સની ફ્રેન્ચાઇઝી તૈયાર થશે તો રાજકોટને મેચ મળી શકે છે.
આઈપીએલમાં કઈ ટીમે પોતાનું હોમ ગ્રાઉન્ડ રાખવું તે ટીમની ફ્રેન્ચાઇઝી નક્કી કરે છે. આતી હવે ચેન્નઈની ટીમના માલિકો શું નિર્ણય લેશે તે જોવાનું રહેશે