ખેલ-જગત
News of Monday, 11th January 2021

રવીન્દ્ર જાડેજા ઘરઆંગણાની બે ટેસ્ટ મેચમાંથી પણ બહાર

ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં ઈજા થઈ : ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને સિડનીમાં પ્રથમ દાવમાં બેટિંગ વખતે અંગૂઠામાં પર બોલ વાગતાં ફ્રેક્ચર થયું હતું

સિડની, તા.૧૧ : ઓસ્ટ્રેલિયામાં ખેલાડીઓની ઈજાથી પરેશાન ભારતીય ક્રિકેટ ટીમને રવીન્દ્ર જાડેજા ઈજાગ્રસ્ત થતા મોટો ફટકો પડ્યો છે. જાડેજા ઓસ્ટ્રેલિયા સામે રમાનારી ચોથી અને અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. એટલું નહીં તે ઈંગ્લેન્ડ વિરુદ્ધ ઘરઆંગણે રમાનારી આગામી સિરીઝની પ્રથમ બે ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. જાડેજાને સિડનીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટના પ્રથમ દાવમાં બેટિંગ વખતે અંગૂઠામાં પર બોલ વાગ્યો હતો અને બાદમાં સ્કેનમાં જાણવા મળ્યું હતું કે તેના અંગૂઠામાં ફ્રેક્ચર થયું છે. ઈજાના કારણે જાડેજા ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં બોલિંગ કરી શક્યો હતો. તેને પ્રથમ દાવમાં બેટિંગ વખતે મિચેલ સ્ટાર્કનો એક શોર્ટ બોલ ગ્લોવ્ઝ પર વાગ્યો હતો. તેને મેદાન પર તબીબી સહાયની જરૂર પડી હતી. બીસીસીઆઈના એક સૂત્રએ જણાવ્યું હતું કે, રવીન્દ્ર જાડેજા ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાનારી પ્રથમ બે ટેસ્ટમાંથી પણ બહાર થઈ ગયો છે. તેની ઈજા સાજી થવામાં ચારથી સપ્તાહનો સમય લાગશે જેના કારણે તે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ બે ટેસ્ટમાં રમી શકશે નહીં. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે જેનો પ્રારંભ ફેબ્રુઆરીથી થશે.

જાડેજાએ પ્રથમ દાવમાં શાનદાર બોલિંગ કરી હતી અને ચાર વિકેટ ઝડપી હતી. બીજા દાવમાં ભારત સામે મોટો લક્ષ્યાંક છે અને મેચ બચાવવા માટે ભારતે એક દિવસ સુધી સંઘર્ષ કરવો પડે તેવી સ્થિતિ છે. તેથી જો જરૂર પડશે તો જાડેજા પેઈનકિલર ઈન્જેક્શન લઈને અંતિમ દિવસ બેટિંગ કરવા ઉતરી શકે છે. સૂત્રએ જણાવ્યું હતું કે, જો ટેસ્ટ બચાવવાની સ્થિતિ આવશે તો તે કદાચ ઈન્જેક્શન લઈને બેટિંગમાં આવી શકે છે.

જાડેજા ઉપરાંત પ્રથમ દાવમાં બેટિંગ વખતે રિશભ પંતને પણ ઈજા થઈ હતી. જોકે, તેની ઈજા ગંભીર નથી અને તે બીજા દાવમાં બેટિંગ કરશે તેમ ટીમના સ્ટાર સ્પિનર રવિચંદ્રન અશ્વિને જણાવ્યું હતું. રિશભ પંતને પેટ કમિન્સનો એક બોલ કોણી પર વાગ્યો હતો. જેના કારણે ઓસ્ટ્રેલિયાના બીજા દાવમાં તે બેટિંગમાં આવી શક્યો હતો અને તેના સ્થાને રિદ્ધિમાન સહાએ વિકેટકીપિંગ કરી હતી.

(7:33 pm IST)