ખેલ-જગત
News of Friday, 11th January 2019

પૂજારા એકાગ્રતાને મામલે સચિન કરતાં પણ આગળ : જસ્ટિન લેન્ગર

ઓસ્ટ્રેલિયન કોચના મતે પ્રામાણિકતાથી કહું તો માત્ર એક સ્પિનર સાથે રમતી અમારી ટીમની તમામ શકિતઓ ખતમ થઈ જતી હતી

ઓસ્ટ્રેલિયાના કોચ જસ્ટિન લેન્ગરે કહ્યું હતું કે તેણે કોઈ બેટ્સમેનમાં ચેતેશ્વર પુજારા જેટલી એકાગ્રતા નથી જોઈ. આ મામલે તે સચિન તેન્ડુકરને પણ પાછળ મૂકે છે. ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝમાં મેન ઓફ ધ મેચ રહેલા પુજારાએ ત્રણ સદી પણ ફટકારી હતી. લેન્ગરે કહ્યું હતું કે મેં આવો બેટ્સમેન નથી જોયો જે બોલને આટલો ધ્યાનથી જોતો હોય. તેનું ધ્યાન બીજે વાળવું અમારા માટે પડકાર સમાન હતું. અમારે તેના જેવું થવું પડશે. શનિવારથી શરૂ થનારી વન-ડે સિરીઝ પહેલાં લેન્ગરે કહ્યું હતું કે અમારા ખેલાડીએ ઘણી મહેનત કરી હતી. મેલબર્ન અને સિડનીમાં પ્રામાણિકતાથી કહું તો તેણે અમને પરેશાન કરી મૂકયા હતા, કારણ કે માત્ર એક સ્પિનર સાથે રમતી અમારી ટીમની તમામ શકિત ખતમ થઈ જતી હતી.

(3:20 pm IST)