News of Friday, 11th January 2019
આજે હું જે કંઈ છું એ સરને લીધે : તેન્ડુલકર
શિવાજી પાર્ક જિમખાનામાં સ્વર્ગસ્થ રમાકાંત આચરેકરની શ્રદ્ધાંજલી સભામાં સચિન તેન્ડુલકર, વિનોદ કાંબલી અને પ્રવિણ આમરેએ હાજરી આપી હતી. સચિને આ પ્રસંગે કહ્યું હતું કે શરૂઆતમાં મને સરે બેટની ગ્રિપ થોડી ઉપરથી પકડવા કહ્યું, પરંતુ મારૂ પ્રદર્શન ખરાબ થતા ફરીથી હું જે રીતે ગ્રીપ રાખતો હતો એમ કરવાની સલાહ આપી હતી. આટલી નાની - નાની વાતોનું ધ્યાન રાખનાર કોચનું યોગદાન કયારેય નહિં ભુલાય. આજે હું જે કંઈ છું એ સરને લીધે જ છું.
(3:19 pm IST)