રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડયા, રૂષભ પંતની ટુકડી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ધમાલ મચાવી શકે છેઃ યુવરાજસિંહે ભવિષ્યવાણી કરી
નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના પૂર્વ ધાકડ બેટ્સમેન યુવરાજ સિંહે જણાવ્યું કે, કયો ભારતીય ક્રિકેટર તેના જેવો લાગે છે અને કયા ખેલાડીમાં તે પોતાની ઝલક જોવે છે. યુવરાજ સિંહે ભારતને 2007 અને 2011 નો વર્લ્ડ કપ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. યુવરાજ સિંહ આ બંને વર્લ્ડ કપમાં 'મેન ઓફ ધ ટૂર્નામેન્ટ' રહ્યો હતો.
યુવરાજ સિંહે કરી ભવિષ્યવાણી
યુવરાજ સિંહે જણાવ્યું કે, ભારતનો આગામી યુવરાજ કોણ બની શકે છે. યુવરાજ સિંહના જણાવ્યા અનુસાર હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા અને ઋષભ પંત તે કરી શકે છે, જે પોતે યુવીએ 2007 ટી-20 વર્લ્ડ કપ અને 2011 વન ડે વર્લ્ડ કપમાં કર્યું હતું. યુવરાજે કહ્યું કે, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને ઋષભ પંતની ટુકડી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ધમાલ મચાવી શકે છે.
આ છે ટીમ ઈન્ડિયાના બેસ્ટ હિટર્સ
યુવરાજ સિંહે વાતચીતમાં કહ્યું, 'આપણને કેટલાક સારા હિટર્સ મળ્યા છે. આપણી પાસે ઋષભ પંત છે. આપણી પાસે હાર્દિક પંડ્યા છે. મને લાગે છે કે ઋષભ પંત અને હાર્દિક પંડ્યા સાથે વધુને વધુ વનડે અને ટી 20 મેચ રમી રહ્યા છે. સાથે બેટિંગ કરતી વખતે આ ખૂબ વિસ્ફોટક જોડી છે.
ગમે ત્યારે બદલી શકે છે મેચનું વલણ
યુવરાજ સિંહે વધુમાં કહ્યું કે તમારી પાસે અમારી પાસે રવિન્દ્ર જાડેજા છે. રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા અને ઋષભ પંત કોઈપણ સમયે મેચનું વલણ બદલી શકે છે. જાડેજાએ વનડે અને ટી 20 ક્રિકેટમાં ઘણો સુધારો કર્યો છે, લેફ્ટ-રાઈટ કોમ્બિનેશન હંમેશા જોખમી રહે છે, જેમ કે હું અને ધોની હતા. તેથી હું ઋષભ, હાર્દિક અને જાડેજાને 5, 6 અને 7 સ્લોટ પર બેટિંગ કરતા જોવા માટે ઉત્સુક છું.
કોણ બનશે ટીમ ઇન્ડિયાનો આગામી કેપ્ટન
યુવરાજ સિંહે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 'હું ઋષભ પંતને ભાવિ ભારતીય કેપ્ટન તરીકે પણ જોઉં છું, કારણ કે તે ઉછળ-કૂદ કરનારો, ચુલબુલો અને ખેલાડીઓ સાથે વાત કરનારો ખેલાડી છે, પણ મને લાગે છે કે તેની પાસે એક સ્માર્ટ દિમાગ છે.
યુવરાજ સિંહે જણાવ્યું આ નામ
યુવરાજ સિંહે કહ્યું, 'ઋષભ પંતને મેં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ કરતા પણ જોયો છે. તેથી આવતા વર્ષોમાં તે ભારતીય ટીમનો આગામી કેપ્ટન બની શકે છે. ઋષભ પંતમાં કેપ્ટન બનવાના તમામ ગુણો છે.